નવસારીના વાંસી બોરસીથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.૪૪ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત… જેમાં:-

નેશનલ હાઈવે ઓથોરિટીના રૂ.૨૦,૦૭૦ કરોડથી વધુ ખર્ચે નિર્મિત વડોદરામુંબઈ એક્સપ્રેસવેના એક હિસ્સાનું લોકાર્પણખાતમુહુર્ત

. . . . . . . . . . . . . . . . . . . . .

સમગ્ર રાજ્યમાં એક મજબૂત રોડ નેટવર્કનું નિર્માણ કરવું એ ગુજરાત સરકારની મુખ્ય પ્રાથમિકતાઓમાંનું એક છે. આ દિશામાં, રાજ્યના વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના ત્રણ ભાગોનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. એમાં પહેલો ભાગ, ૩૨ કિમી લાંબો મનુબરથી સાંપાનો છે, જેને રૂ.૨૪૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ જ રીતે, બીજો ભાગ લગભગ ૩૨ કિમી લાંબો સાંપાથી પાદરાનો છે, જેને રૂ.૩૨૦૦ કરોડથી વધુના ખર્ચે અને ત્રીજો ભાગ ૨૩ કિમી લાંબો પાદરાથી વડોદરાનો છે, જેને રૂ.૪૩૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ રીતે રૂ.૨૦ હજાર કરોડથી વધુના NHAIના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ વડાપ્રધાનશ્રીએ જનતાને સમર્પિત કર્યા હતા.   

સુરત મહાનગરપાલિકાસુડા અને DREAM સિટીના વિકાસકાર્યો મળીને રૂ.૫૦૪૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

. . . . . . . . . . . . . . . . . . . . .

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સુરત મહાનગરપાલિકા, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ડ્રીમ સિટીના વિકાસકાર્યો મળીને રૂ.૫૦૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું. તેમાં રૂ.૩૦૦૦ કરોડથી વધુના ખર્ચે ૪૨ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને રૂ.૨૦૦૦ કરોડથી વધુના ખર્ચે ૨૮ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણના કાર્યોમાં રૂ.૮૪૦ કરોડના ખર્ચે ૫૦ ઇલેક્ટ્રિક બસોનો પ્રારંભ, રૂ.૫૯૭ કરોડના ખર્ચે નિર્મિત તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના વિવિધ કાર્યો અને રૂ.૪૯ કરોડના ખર્ચે ડ્રીમ સિટી લિમિટેડના વિવિધ કાર્યોનો સમાવેશ થાય છે, જ્યારે ખાતમુહુર્તના કાર્યોમાં રૂ.૯૨૪ કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજના, રૂ.૮૨૫ કરોડના ખર્ચે કન્વેન્શનલ બેરેજ, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારના વિવિધ ગામોમાં નલ સે જલ યોજના હેઠળ રૂ.૪૮૦ કરોડના ખર્ચે નિર્માણ થનારી પાણી પુરવઠા યોજના વગેરે જેવા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. 

₹22,500 કરોડથી વધુના ખર્ચે નિર્મિત બે નવા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ થશે દેશને સમર્પિત

. . . . . . . . . . . . . . .

વડાપ્રધાનશ્રી દ્વારા જનતાને સમર્પિત વિકાસકાર્યોમાં તાપી જિલ્લાના કાકરાપારમાં સ્થિત બે નવા ન્યુક્લિયર પ્લાન્ટ્સ ઈ લોકાર્પણ કરવામાં આવ્યા હતા. 700- 700 મેગાવોટની ક્ષમતા ધરાવતા બે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ સ્વચ્છ અને સસ્ટેનેબલ ઊર્જાનો ઉપયોગ કરીને રાજ્યને શુદ્ધ ઝીરો કાર્બન ઉત્સર્જન પ્રાપ્તિની દિશામાં આગળ વધારશે. ગુજરાતમાં ભારતના પ્રથમ સ્વદેશી પરમાણુ ઊર્જા સંયંત્ર (ન્યુક્લિયર એનર્જી પ્લાન્ટ), કાકરાપાર એટોમિક પાવર પ્લાન્ટ (KAPP-3) માં યુનિટ-3નું ઉદ્ઘાટન ભારતના પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ભારતીય વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ આ પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR) આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ સ્વદેશી નવીનીકરણ અને અત્યાધુનિક સુરક્ષા ઉપાયોનું ઉદાહરણ છે. 

૨૦ વિવિધ વિભાગોના રૂ.૫૪૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું પણ થશે લોકાર્પણખાતમુહુર્ત

. . . . . . . . . . . . . . . . . . . . .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ ઝોનના ૨૨ જિલ્લાઓ વડોદરા, નવસારી, ભરૂચ, તાપી, વલસાડ, પંચમહાલ, સુરત, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, અને નર્મદામાં ૨૦ વિવિધ વિભાગોના રૂ.૫૪૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતું. આ જિલ્લાઓમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, માર્ગ અને મકાન, જળ સંસાધન અને જળ વિતરણ, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર વિભાગ, ગૃહ, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના ૫૫ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્તનો સમાવેશ થાય છે.. 

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતના વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસની આ લાંબી શ્રેણીમાં રેલવેના રૂ.૨૨૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યો પણ સામેલ છે. આ રેલવે પ્રોજેક્ટ્સથી દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓને ફાયદો થશે.

-૦૦૦-

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *