વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ‘આશ્રમ ભૂમિ વંદના’ પ્રોજેક્ટનો શુભારંભ — વડાપ્રધાનશ્રીએ સાબરમતી ખાતેથી પુનઃવિકસિત કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું — રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ -: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી :- – સાબરમતી આશ્રમે બાપુના સત્ય અને અહિંસા, રાષ્ટ્ર સેવા અને વંચિતોની સેવામાં ભગવાનની સેવાના દર્શનના મૂલ્યોને જીવંત રાખ્યાં છે – અમૃત મહોત્સવે ભારત માટે અમૃત કાળમાં પ્રવેશવા માટેનું પ્રવેશદ્વાર બનાવ્યું – જે રાષ્ટ્ર પોતાના વારસાને સાચવવામાં સક્ષમ નથી, તે પોતાનું ભવિષ્ય પણ ગુમાવે છે – બાપુનો સાબરમતી આશ્રમ દેશનો જ નહીં માનવતાનો વારસો છે – ગુજરાતે સમગ્ર રાષ્ટ્રને વારસાની જાળવણીનો માર્ગ બતાવ્યો – આજે જ્યારે ભારત વિકાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે મહાત્મા ગાંધીનું આ તિર્થધામ આપણા બધા માટે એક મહાન પ્રેરણા છે — -: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :- – આઝાદીના અમૃતકાળમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ થયો – પુનઃનિર્માણ પ્રોજેક્ટથી સાબરમતી ગાંધી આશ્રમ આધુનિક ભારતનું તીર્થ બનશે – પૂજ્ય મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના કરી ત્યારથી આ આશ્રમ રચનાત્મક કાર્યો, મૂળભૂત સિદ્ધાંતો, સત્યાગ્રહ અને આધ્યાત્મિક વિચારોના પ્રયોગાત્મક કેન્દ્રની ભૂમિ રહ્યો છે – આઝાદી પહેલાં અનેક જનઆંદોલનના નિર્ણયો આ પવિત્ર ભૂમિ પરથી લેવાયા.
![](https://www.grahakchetna.in/wp-content/uploads/2024/03/yDKp14PriLnJOstpxKH01RlvnbdWfceX-1024x615.jpg)
![](https://www.grahakchetna.in/wp-content/uploads/2024/03/PK5uh3wz2B95-qKXQVTQd1zQ5puRZZS_-1024x789.jpg)
![](https://www.grahakchetna.in/wp-content/uploads/2024/03/diuJxyb8sepbyAlm1qzaHrW3THxA3Eyx-1024x794.jpg)
![](https://www.grahakchetna.in/wp-content/uploads/2024/03/wq3jWRt_vZg_ObVKLoEtiS7rv71Yuwok-902x1024.jpg)